મારા અનુભવો
Publisher Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે। સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. એ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત પ્રયન્ત્શીલ રહેલા છે.
પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંયે પકડી પકડીને છોડી દીધું છે. જયારે મને એમ સમજાય છે કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઇ રહ્યું છે એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે.