પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ

પૌરાણિક કથા‪ઓ‬

Publisher Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


મેં વિશ્વભરમાં જૂના ધર્મોમાં બહુ દેશ જોયા. મિસ્ર, ગ્રીસ, રોમ વગેરે સ્થળે હજી આજે પણ જુદા જુદા દેવોનાં મંદિરો તથા પ્રતિમાઓ છે. ઇસ્લામના ઉદય પહેલાં આરબ દેશોમાં પણ બહુદેવવાદ હતો. ભારતમાં તો હતો જ. વિદેશોમાં ખ્રિસ્તી અને ઇસ્લામના પ્રભાવમાં બહુદેવવાદ સમાપ્ત થઈ ગયો. તેની જગ્યાએ બહુદરગાહવાદ સાથે એકેશ્વરવાદ આવ્યો. આપણે ત્યાં એક બ્રહ્મવાદ હતો જ પણ તે માત્ર થોડા વિદ્વાનો સુધી જ સીમિત હતો. સામાન્ય લોકો સુધી તો બહુદેવવાદ જ પ્રચલિત હતો. દેવોની કથાઓ હોય. બ્રહ્મની કથા ન હોય, દેવો જન્મે, મોટા થાય, પરાક્રમો કરે, પરણે, બાળબચ્ચાં થાય તેમને શાપ લાગે અને શાપ આપે, આશીર્વાદ પણ આપે. તેમને પણ માણસ જેવાં જ ઈર્ષ્યા-દ્વેષ-રાગ, કામ, ક્રોધ વગેરે હોય જ. તેથી રંગીન કથાઓ થાય. આ બધું ન હોય તો કથાઓ ન હોય. કદાચ હોય તો નીરસ હોય. તેથી પુરાણોમાં પુષ્કળ કથાઓ છે. મેં જોયું કે એમાંની ઘણીખરી આજે પણ બોધપ્રદ અને પ્રસ્તુત છે. આ પુરાણોને જો તુચ્છકારી દેવાય તો બહુ મોટો વારસો આપણે ખોઈ બેસીએ, કારણ કે પુરાણોમાં કથાઓ સિવાય જીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયના જ્ઞાનનો ભંડાર ભર્યો પડ્યો છે. ઘણાં વર્ષો પહેલાં મેં પુરાણો વાંચેલાં પણ ત્યારે મને નહિ ગમેલાં કારણ કે મારી પાત્રતા ખીલી ન હતી. વર્ષો પછી ફરી વાંચવાનાં થયાં અને મને લાગ્યું કે આમાં તો જીવનની કથાઓ જ ભરી પડી છે. નાનાં બાળકો દાદીમા પાસે રોજ એક વાર્તા સાંભળવાની અપેક્ષા રાખે છે. અહીં તો એક નહિ અસંખ્ય કથાઓનો ભંડાર ભર્યો પડ્યો છે. મેં થોડીક કથાઓ ચૂંટી કાઢી અને તેનું આલેખન કર્યું. કથાઓમાં મારી ટિપ્પણીઓ ઉમેરી, ક્યાંક ક્યાંક તેમાં થોડો ફેરફાર પણ કર્યો જેથી વધુ આધુનિક અને પ્રસ્તુત થાય. આ રીતે આ પુસ્તક તૈયાર થયું છે.

GENRE
Religion & Spirituality
RELEASED
2010
4 February
LANGUAGE
GU
Gujarati
LENGTH
250
Pages
PUBLISHER
Gurjar Prakashan
SELLER
Shree Swami Sachchidanandji
SIZE
577
KB

More Books by Swami Sachchidanand

બુદ્ધ જાતક ચિંતન : 1 બુદ્ધ જાતક ચિંતન : 1
2012
બોધગયામાં નેત્રશ્રાદ્ધ બોધગયામાં નેત્રશ્રાદ્ધ
2009
ભાગવતનું ચિંતન ભાગવતનું ચિંતન
2011
મહાભારતની જીવનકથાઓ મહાભારતની જીવનકથાઓ
2010
નર-નારીનાં સંબંધો નર-નારીનાં સંબંધો
2003
વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો
1987

Customers Also Bought