સિક્કિમ અને ભુતાનનો પ્રવાસ
Publisher Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યશીલ રહેલા છે.
આ બન્ને પ્રદેશોમાં જ્યાં જુઓ ત્યાં કુદરતી સૌંદર્ય ભરપૂર છે. અરાજકતા અને આતંકવાદથી ખદબદતા કાશ્મીર જવા કરતાં સિક્કિમ-ભુતાન જવું વધુ હિતાવહ છે. અહીં પૂરી સુરક્ષા છે. ચોરી-લૂંટ કે બળાત્કાર થતા નથી. પ્રવાસીઓ ચિંતામુક્ત નિર્ભય થઈને પ્રવાસ કરી શકે છે. કુદરતી સૌંદર્ય તો પાર વિનાનું છે. લોકોએ અને સરકારે સહેલાણીઓને આ તરફ વાળવા જેવાં ખરાં.