પૂર્વ યુરોપનો પ્રવાસ
Publisher Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
પ્રવાસની પાછળનો હેતુ હતો કે સામ્યવાદી દેશોને નજીકથી જોવા. હું રશિયા તથા ચીન તો જઈ આવ્યો છું. મને ચીનનો અનુભવ સારો રહ્યો હતો. સામ્યવાદી હોવા છતાં પણ તેણે પાછલાં વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે. મને લાગે છે કે તેનું કારણ સામ્યવાદ અને મૂડીવાદનું મિશ્રણ છે. સામ્યવાદને વિદાય કર્યા વિના પણ તેણે વિશ્વભરના પૂંજીપતિઓને આવકાર્યા છે. તે સમજી ગયું છે કે વિકાસનું મૂળ મૂડીરોકાણ છે. મૂડી ન હોય તો વિશ્વભરમાંથી મૂડી લાવી શકાય છે. તેણે વિશ્વભરની મૂડીને આમંત્રી અને ઢગલાબંધ મૂડીરોકાણ થયું.
મૂડી ક્યારે આવે? જ્યારે ત્રણ પ્રશ્નો ન હોય ત્યારે.
1. કાયદાની વ્યવસ્થા કથળેલી ન હોય,
2. મજૂર પ્રૉબ્લેમ ન હોય
3. સરકારી નોકરોની કનડગત ન હોય.
આ ત્રણ પ્રશ્નો ચીનમાં નથી. અર્થાત્ કાયદાની વ્યવસ્થા સારી છે.