રામાયણનું ચિંતન રામાયણનું ચિંતન

રામાયણનું ચિંત‪ન‬

Publisher Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


મારી પાસે રસ્તો છે: ફરીથી “ઋષિમાર્ગ” અપનાવો. ફરીફરીને કહેવું પડે છે કે ઋષિઓ બણગાખોર નથી, વાસ્તવવાદી છે, તેથી પ્રજા આ લોક અને પરલોક બન્ને સુધારી શકે છે. ઋષિમાર્ગનો ટૂંકો સાર આ પ્રમાણે છે. આ ઋષિમાર્ગનો સાર છે. જો પ્રજાને આ ઋષિમાર્ગ તરફ વાળી શકાય તો ફરીથી પ્રજા મહાન થઈ શકે. જે આ પાંચેય સામે ઝઝૂમે તે જ મહાન હોય—મહાન થઈ શકે. પ્રજાને ફરીથી ઝઝૂમતી કરવી છે, ભાગતી નહિ. આ દૃષ્ટિકોણથી ‘રામાયણનું ચિંતન’ લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ‘રામાયણ’માં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી, બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, ભરદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે. બધા પાસે શસ્ત્રો છે. બધા યુદ્ધો કરે છે, નવાંનવાં શસ્ત્રોની રચના કરે છે, રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરકબળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે. માનો કે આપણે સૌ આ ઋષિઓના જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે. તો પછી આપણને કમજોર બનાવનારો માર્ગ શું છે?

GENRE
Religion & Spirituality
RELEASED
2010
30 August
LANGUAGE
GU
Gujarati
LENGTH
271
Pages
PUBLISHER
Gurjar Prakashan
SELLER
Shree Swami Sachchidanandji
SIZE
651.2
KB

More Books by Swami Sachchidanand

બુદ્ધ જાતક ચિંતન : 1 બુદ્ધ જાતક ચિંતન : 1
2012
બોધગયામાં નેત્રશ્રાદ્ધ બોધગયામાં નેત્રશ્રાદ્ધ
2009
ભાગવતનું ચિંતન ભાગવતનું ચિંતન
2011
મહાભારતની જીવનકથાઓ મહાભારતની જીવનકથાઓ
2010
નર-નારીનાં સંબંધો નર-નારીનાં સંબંધો
2003
પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ
2010

Customers Also Bought